Monday 11 May 2009

સંત કબીરના દુહા - 2

એવી વાણી બોલ્યે કે, મનનો ભાર ખોવાય;
આપણું તન શીતળ કરે, બીજાંને સુખ થાય

મોટો થયો તો શું થયું, જેવું ઝાડ ખજૂર;
પંથીને છાંયા નહિ, ફળ આવે બવ દૂર

પ્રભુ એટલું આપજે, જેમાં કુટુમ્બ સમાય;
હું ભુખ્યો ના સુવું, સાધુ ના ભૂખ્યો જાય

માંગવું મરણ સમાન છે, ના કોઈ માંગે ભીખ;
માંગવાથી મરવું સારું, આ સતગુરુની શીખ

કબીર ઉભો બજારમાં, માંગે બધાની ખેર;
ના કોઈની દોસ્તી, કે ના કોઈથી વેર

કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર;
પાછળ-પાછળ હરી ફરે, કહિ કબીર કબીર

પોથી ભણીને જગ મર્યુ, પંડિત થયો ન કોઈ;
અઢી અક્ષર પ્રેમના, જે ભણે તે પંડિત હોઈ

No comments:

Post a Comment